વાંચનનો પ્રકાશ સૌના જીવનમાં!

અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા! 

•આ પ્રાર્થના આપણે એક બાળક તરીકે સૌએ સાંભળી અને ગાઈ હશે જ્યારે શાળામાં ભણતા હતા, પણ હકીકત એ છે કે બાળકોના મનમાં ક્યારેય અંધકાર નથી હોતો.તેના માટે તો સર્વે જગ્યાએ અજવાસ જ હોય છે પરંતુ સમાજ અને માતા-પિતા તરીકે બાળકોના મનમાં અંધકાર બક્ષીએ છીએ કારણ કે આપણી પાસે જ પૂરૂં અજવાળું નથી હોતું અને બાળકના દ્રષ્ટીકોણને ઉજાગર કરવા માટે આપણે ઘણા પુસ્તકો વાંચવા પડશે અને વાંચનની ટેવ કેળવવી રહી, વહેલી કે મોડી!
•પુસ્તકો જ એકમાત્ર એવું સાધન છે જે તમામ અંધારાને ઓગાળી શકે અને બાળકોએ જો આપણને વાંચતા જોયા હશે તો જ એમનામાં હોંશ જાગશે વાંચવાની અને આ રીતે પણ તેમના મનનું અંધારું મટી શકે છે.
•આપણે શું વાંચીએ છીએ તે ઘણું અગત્યનું છે કેમ કે આ મનનું અંધારું એટલે જ્ઞાનનો અભાવ હોવો અને આ અભાવ ત્યારે જ દૂર થશે જ્યારે આપણે આધ્યાત્મિક, સાહસિક આવા અનેક પ્રકારના પુસ્તકો વાંચ્યા હશે.
•બાકી સાચા જ્ઞાનને અભાવે બાળકનો સર્વાંગી વિકાસ કદાચ શક્ય નથી.
•અત્યારની આધુનિક પેઢી ભલે વાંચન રસિયા ન હોય પણ ભવિષ્યમાં ફરી એવો સમય આવશે જ્યાં એ લોકો ને પણ અઢળક પુસ્તકો વાંચવા જ પડશે કારણ કે વાંચવાથી આપણો અભિગમ બદલાય છે કોઈ પણ વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે અને તે લાંબા ગાળે એક હકારાત્મક સમાજમાં પરિણમે છે!
©મૈત્રી બારભૈયા

Comments