સુખની શોધ!
સુખની પરિભાષા એ હોતી જ નથી જે આપણે માનીએ છીએ.આપણે વૈભવી જીવનને જ સુખ માની લઈએ છીએ અને આપણે આખી જિંદગી ખર્ચી નાંખીએ છીએ વૈભવી જીવન બનાવવા માટે અને અંતે પરિણામ એ આવે છે કે કોઈના પ્રયાસ સફળ નિવડે છે અને જે હોય એમાં જ આખરે સંતોષ માની લઈએ છીએ.પણ, આપણને સુખી હોવાની અનુભૂતિ ક્યારેય થતી જ નથી.ખુશીની જેમ સુખ વ્યક્તિલક્ષી છે.જો આપણે ધારીએ તો દરેક ક્ષણ સુખ અનુભવી શકીએ છીએ.
•કોઈ ગરીબ બે ટંક ભોજન માટે કાળી મજૂરી કરે છે તેમ છતાં ક્યારેક તે એક ટંકના ભોજનથી વંચિત રહી જાય છે અને આપણે મહેનત કરીને જમવાનું મેળવી લઈએ છીએ ત્યારે આપણે સુખ અનુભવવું જોઈએ.
•કોઈ હોસ્પિટલમાં લાખોના બીલ ભરીને પણ સાજા-નરવા નથી થઈ શકતા જ્યારે આપણે રોજ સવારે તાજગીસભર ઉઠીએ છીએ ત્યારે આપણને સુખી હોવાની અનુભૂતિ થાય છે.
•ગરીબ ઝૂંપડામાથી મકાન બનાવવા માટે સખત મહેનત કરે છે અને આપણી પાસે આલિશાન ઘર છે ત્યારે આપણે સુખી છીએ.
•જો આપણી પાસે પૂરતો રોજગાર છે તો આપણે ખરેખર સુખી છીએ.
•આપણી કોઈ પણ જરૂરિયાત આસાનીથી પરિપૂર્ણ થાય છે ત્યારે સુખી છીએ.જ્યારે કોઈને પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવા પણ રાત દિવસ એક કરે છે.
અને આવી કેટલીય બાબત છે જ્યારે સુખી હોવાની અનુભૂતિ કરી શકીએ છીએ!
©મૈત્રી બારભૈયા
Comments
Post a Comment