આખરે સફળતા શું છે?

જીવનમાં સફળતા સાથે કોઈ નિસ્બત નથી.આ સફળતાની પરિભાષા આપણે કાયમ ખોટી આપતા રહ્યા છીએ.આપણને અને સમાજને એવું જ લાગતું આવ્યું છે કે જીવનમાં સફળતા જ બધું છે પણ હકીકતમાં તેને કોઈ લેવાદેવા નથી.આપણા માટે સફળતાની વ્યાખ્યા એટલે એક ચોક્કસ ઉંમરે ભણી-ગણી નોકરી કે ધંધાની શરૂઆત થવી.પણ, શું કોઈએ આપણને ખુશ કેવી રીતે રહેવાય એ શિખવાડ્યું?આપણા માટે સફળતા એજ ખુશી છે? પણ નિજાનંદ પ્રાપ્ત કેવી રીતે કરાય તે કેમ ન શીખવે કોઈ?

અબ્બાસ અબ્દુલ વાસી જેને આખી દુનિયા 'મરીઝ' તરીકે ઓળખે છે એમની પાસે સ્નાતક કે અનુસ્નાતકની પદવી નહોતી તેમ છતાં તેઓ આજ સફળતાના શિખરે છે અને તેમને તો ખબર હતી કે મરણોપરાંત જ એ સફળ કહેવાશે.આથી માત્ર ભણતર જ બધું નથી પણ આવડતનુ હોવું પણ જરૂરી છે અને ભણતર એટલા માટે જરૂરી છે કારણ કે તેનાથી વ્યક્તિનો દ્રષ્ટિકોણ બદલાય છે પણ આ સાથે ખુદ કેવી રીતે ખુશ રહેવું એ શીખવું પણ જરૂરી છે!

On This Note: ખુદ નો આનંદ કરવો ઊભો કેવી રીતે તે પણ એક કળા છે!

©મૈત્રી બારભૈયા

Comments