સર્જક

આપણે બધા જ સર્જક છીએ.એવુ જરૂરી નથી કે સર્જક શબ્દ માત્ર સાહિત્યિક અર્થમાં જ બોલાય કે વપરાય.સર્જક એટલે જે કશુંક કલાત્મક સર્જી શકે,એ પછી નવલકથા હોય કે કવિતા કે અન્ય કોઈ વસ્તુ.આપણે સર્જક એટલા માટે છીએ કારણ કે આપણે જીવન પર્યંત સુધી કોઈને કોઈ સંબંધ સર્જીએ છીએ અને ન કેવળ તેનું સર્જન કરીએ છીએ પણ તેને નિભાવવાની પૂરી કોશિશ કરીએ છીએ.સંબંધને બાંધવો એ શબ્દ પ્રયોગ ખોટો છે કદાચ કારણ કે સંબંધ બાંધવો એમ કહીશું તો ત્યાં મરજીયાત પણું આવી જશે કેમ કે આપણે જેની સાથે સંબંધ બાંધવા ઈચ્છુક છીએ એને આપણી સાથે સંબંધ બાંધવામાં રસ કે મરજી ન હોય એમ પણ બને.આથી જ સંબંધનું સર્જન થાય છે એમ કહું છું કારણ કે તે સ્વૈચ્છિક છે અને સંબંધને ટકાવવો એ એક કળા છે જે આપણી પર નિર્ભર કરે છે કે તે કળાને કેવી રીતે આપણે વધુ સારી રીતે નિખારી શકીએ.
સર્જન કાયમ સ્વૈચ્છિક જ હોય છે!
©મૈત્રી બારભૈયા

Comments