Posts

જિંદગીના સ્તંભો

આસાન જિંદગી જીવવાના રસ્તાઓ ઘણા સરળ છે પણ તેને અમલ કરીને ચાલવું અઘરું છે અને એટલે જ ક્યારેક જીવન જીવવું મુશ્કેલ લાગે છે. જિંદગી પસાર કરવાના અને સુવ્યવસ્થિત જીવન માણવાના ત્રણ મજબુત પીલ્લર છે: ૧) સમાયોજન (Adjustment) ૨) ત્યાગ (Sacrifice) ૩) બાંધછોડ (Compromise) સુરમ્ય જિંદગી માણવા માટે ઉપરના ત્રણ સ્તંભ ચણતાં અને તેને કેવી રીતે ટકાવી રાખવા એ શીખવું જરૂરી છે. જિંદગી આખરે શું છે? આપણે લોકો સાથે કેવી રીતે અને કેટલું સારી રીતે સમાયોજન(Adjustment)  કરી શકીએ છીએ એ ખેલ! જિંદગીમાં ઘણી ખરી મુશ્કેલીઓ એટલા માટે આવતી હોય છે કારણ કે આપણે લોકો સાથે સમાયોજન સાધી નથી શકતા. જો આ જ ખેલ આપણને રમતા આવડી જાય તો જિંદગી નામની આખી બાજી જીતી શકાય. લોકોને સમજીને,તેમની પરિસ્થિતિ ને જો આપણે સમજવાની કોશિશ કરીએ તો દરેક વ્યક્તિ સાથે આપણે ગોઠવાઈ શકીએ છીએ. હવે બીજી વાત ત્યાગની (Sacrifice) આવે છે. દરેક સંબંધમાં એવું થતું હોય છે કે બધા પોતાના મંતવ્યો પકડી રાખે છે અને પોતાની વાતનો કે મંતવ્યનો ત્યાગ કરવા તૈયાર નથી હોતા અને આવું માનવ સહજ સ્વભાવ ને કારણે થાય છે.આપણને આપણો અહમ આપણા મંતવ્યનો ત્યાગ કરતા રોકે છે અને એટલે જ કોઈ ...

બાળકરૂપી મન

મન પણ કોઈ બાળક જેવું છે, જેમ બાળકને કોઈ વસ્તુ જોઈતી હોય અને ત્યારે જીદે ચઢે અને પછી જ્યારે એ રડે ત્યારે એને જે જોઈતું હોય એ આપી દ‌ઈએ છીએ. ક્યારેક મનને પણ એ આપવું પડે છે જે એ માંગે છે. ક્યારેક બાળકની માંગણી અયોગ્ય હોય તો આપણે તેને પૂરી ન કરીને બાળકનું ધ્યાન બીજે વાળી દ‌ઈએ છીએ અને એક માતા-પિતા તરીકે બાળકનું ધ્યાન બીજે વાળી દેવામાં આપણે માહિર હોઈએ છીએ પણ શું જ્યારે આપણું મન અયોગ્ય વસ્તુઓની માંગણી કરે ત્યારે આપણે બીજે ક્યાંય ધ્યાન વાળી શકીએ છીએ? જ્યારે બાળકને કોઈક રમકડું જોઈતું હોય અને એ આપણને મોંઘુ લાગતું હોય તો આપણે બહુ સરળતાથી એવું કહી દ‌ઈએ છીએ કે 'બેટા તને આગળ બીજેથી અપાવીશું' અને પછી ત્યાં સુધીમાં બાળક એ વસ્તુ ને ભૂલી જાય છે.પણ શું, મનનાં કિસ્સામાં આવું શક્ય છે?જે મનની માંગણીઓ છે એનું પરિણામ આપણા માટે મોંઘુ પડી શકે એમ હોય તેમ છતાં આપણે એને ભૂલી શકીએ છીએ ખરા? કદાચ ના કે હા!પણ એટલું સરળતાથી તો એને નહિ જ ભૂલી શકાતું. આ મોંઘુ પડતું પરિણામ એટલે નકારાત્મકતા. ખબર છે કે આ નકારાત્મકતા આપણને તબાહ કરી દેશે તો પણ આપણે એને ભૂલી શકીએ છીએ?એને બીજે ક્યાંક લ‌ઈ જ‌ઈએ ત્યાં સુધીમાં આને ભૂલી જ‌ઈએ ...

રસ જિંદગીનાં!

જેમ નૃત્યમાં નવ રસનું મહત્વ છે એમ આપણા જીવનમાં પણ એવા રસ છે અને એનાથી વધારે રસ આપણા જીવનમાં છે. નૃત્યના નવ રસો: ૧) હાસ્ય રસ ૨) ભયાનક રસ ૩) રૌદ્ર રસ ૪) કરૂણ રસ ૫) વીર રસ ૬) અદભૂત રસ ૭) બિભત્સ રસ ૮) શાંત રસ ૯) શ્રૃંગાર રસ આપણા જીવનમાં આના કરતા બે રસ વધારે છે અને એ છે ૧) પ્રેમ રસ અને ૨) નફરત! જ્યારે આપણા જીવનમાં કોઈ આવે છે અને પછી ચાલ્યા જવાનું થાય ત્યારે આપણા જીવનમાં કેટલાક રસ ઉત્પન્ન થતા હોય છે.જ્યારે આપણને પ્રેમ થાય છે ત્યારે પ્રેમ રસની સાથે બીજા રસનું પણ સર્જન થાય છે અને એ છે: શ્રૃંગાર રસ, હાસ્ય રસ, અદભૂત રસ અને શાંત રસ. જ્યારે ખુદથી કે બીજા કોઈ સાથે પ્રીત થતી હોય છે ત્યારે આપણને રોજ કરતા ખુદની જાતને વધારે શણગારીએ છીએ. દરેક ક્ષણે એવો વિચાર આવે છે કે આપણા પ્રિય પાત્રને ગમે એ રીતે ખુદને શણગારીએ. (શ્રૃંગાર રસ) કોઈ વ્યક્તિ સાથે વાત કરતા કરતા એટલો પ્રેમ અને મનમેળ થઈ ગયો હોય છે કે એ વ્યક્તિ સાથે આપણને હસવું ગમવા લાગે છે.જ્યારે આપણે ફક્ત કોઈ ચોક્કસ કારણ પર જ હસતા હોઈએ અને જ્યારે જેની સાથે હસવું ગમતું હોય એની ગેરહાજરીમાં આપણે મરક મરક હસતા થઈ જ‌ઈએ છીએ. કેટલી અદભૂત વાત છે કે પ્રેમમાં કોઈની હાજર...

મહત્વ આત્મનિરીક્ષણનું!

Image
INTROSPECTION! આ આમ તો અંગ્રેજી શબ્દ છે પણ આનો ગુુજરાતી અર્થ અદભૂત છે. Introspection એટલે આત્મનિરીક્ષણ- આત્માનું નિરીક્ષણ. આમ તો આ શબ્દ મનોવિજ્ઞાન નો છે પણ આનું આધ્યાત્મિક મહત્વ પણ ઓછું નથી જ! અત્યારના નવયુવાનો માટે  એક વિશેષણ બહુું  પ્રચલિત છે અને તે છે Wavering Mind -એટલે કે ડગુમગુ કે અસ્થિર મન.તેનુ  કારણ એ છે કે  તેમને આપણે આત્મનિરીક્ષણ ની ટેવ નથી પાડી કારણ કે આપણે પોતે પણ એ ટેવ  ક્યારેય કેળવી નથી  શક્યા. આત્મનિરીક્ષણ નો ખ્યાલ ભલે આધુનિક હોય પણ શાસ્ત્રોમાં ધ્યાનનો મહિમા ઘણો રહેલો છે.ધ્યાનનો બીજો મતલબ એટલે આત્મનિરીક્ષણ. જેેેમ ધ્યાન આપણી અનુકૂળતાએ કરી શકાય એમ આત્મનિરીક્ષણ પણ આપણી અનુકૂળતા મુજબ કરી શકાય. સાચી દિશાનું આત્મનિરીક્ષણ પણ ધ્યાન જેવુું જ કામ કરે છે. આમ તો  આત્મનિરીક્ષણ આપણને સાચી દિશા ચીંધે છે. ધ્યાન કરવાથી જેેમ ખુુદનેે ઓળખી શકાય છે એમ આત્મનિરીક્ષણથી પોતાને પારખી શકાય છે.અત્યારે  જેમ આપણે ધ્યાનનુ મહત્વ ભૂલી રહ્યા છીએ પણ આ કોરોના સમયમાં ફરીવાર  ધ્યાન તરફ વળતા  થયા છીએ એમ જ આપણે બધાએ વહેલા  કે મોડા આત્મનિરીક્ષણ ત...

ભગવાન પણ સેટિંગ કરે છે!

હા, ભગવાન પણ સેટિંગ કરે છે! શું આ વાત તમે કે આપણે માનીશું? તેમના સેટિંગ આપણા મનુષ્ય કરતા ઘણા જૂદાં હોય છે અને જેમ આપણે કોઈ બીજાના સેટિંગ બગાડવામાં માહિર છીએ એમ ભગવાન પણ આપણા સેટિંગ બગાડવામાં પારંગત છે.જે વ્યક્તિ સાથે આપણને બેહદ ચાહત હોય અને એવું આપણે માનીએ છીએ કે તે વ્યક્તિ યોગ્ય છે પણ હકીકતમાં તેની ખરી યોગ્યતા ઈશ્વરને ખબર હોય છે અને એ એટલે જ તેને આપણાથી દૂર રાખે/કરે છે. ક્ષણિક તે વ્યક્તિનો વિરહ હોય પણ પછી તો એવું જ માનીએ છીએ કે ' જે થયું એ સારું જ થયું'! ભગવાન જે કરે તે આપણા જ હિત માટે છે. કોઈ અજાણી વ્યક્તિ સાથે મુલાકાત થવી, પછી તેની સાથે નિરંતર વાતો કરવી,તે વ્યક્તિનું ગમી જવું, પછી તેની સાથે પ્રેમ થયાની અનુભૂતિ થવી, પછી એકમેકના વિચારો સમાન મળતા આવવા,એકબીજાનો સ્વભાવ સરખો મળતો આવવો, એકબીજાના મનમેળની સાથે સાથે મતમેળ/મંતવ્યોનો પણ મેળ થવો.જ્યારે આવું થાય ત્યારે આ ઘટનાને આપણે શું કહીશું? આકસ્મિક ઘટના, સાહજિક પ્રસંગ કે યોગાનુયોગ બની ગયેલો બનાવ કે કહેશું ઈશ્વરનું સેટિંગ કે આપણા ગયા જન્મમાં કરેલા કર્મનું ફળ?જે ઈશ્વરમાં માનતા હશે એ આને કહેશે કે આ તેનું જ કોઈ સેટિંગ છે અને જે લોકો ઈશ્વર...

વર્ચસ્વની લડાઈ.

Image
વર્ચસ્વ ઘણા બધા ક્ષેત્રોમાં હોય છે.આપણુ વર્ચસ્વ હંમેશા રહે લોકો પર તે આપણને ગમતું હોય છે.વર્ચસ્વનો બીજો મતલબ આધિપત્ય થતો હોય છે.વર્ચસ્વ સામાજિક, કાર્યક્ષેત્ર, રાજકારણમાં હોય શકે.આમ જોવા જઈએ તો વર્ચસ્વની મહેચ્છા આપણાથી શરૂ થાય છે અને તેને પામવાની  લડાઈ લંબાઈ જાય છે.સમાજમા કોઈ એક વ્યક્તિનું વર્ચસ્વ હોય તો તેને સામાજિક વર્ચસ્વ કહે છે પણ સમાજના વિકાસ માટે કોઈ એકનું વર્ચસ્વ નુકસાનદાયક નીવડી શકે છે.કાર્યક્ષેત્રમા આપણે અવિરત પ્રયાસો કરતા રહીએ છીએ કે આપણને વર્ચસ્વ મળી રહે. ક્ષેત્ર કોઈ પણ હોય પણ વર્ચસ્વની લડાઈ હાનિકારક હોય શકે.કોઈ પણ ક્ષેત્રના વિકાસ માટે વર્ચસ્વ કે આધિપત્ય નહિ પણ લોકમત અને લોકસહાય અનિવાર્ય હોય છે.વર્ચસ્વનુ હોવું ત્યાં સુધી જ સારું છે જ્યાં સુધી એ લોકહિત માટે હોય. વર્ચસ્વની લડાઈ એ સામાજિક છે કારણ કે સમાજમાં રહેતા દરેક લોકો વર્ચસ્વ ઝંખે છે.સમાજ દ્વારા પુરુષના વર્ચસ્વ ને વધુ મહત્વ અપાયું છે પણ ક્યારેક સ્ત્રી ને પણ વર્ચસ્વની ઝંખના થતી હશે અને ક્યારેક પુરૂષના વર્ચસ્વની પણ ઈર્ષા થઈ આવતી હશે.પિતા બનવા માટે બીજા સ્ત્રી પાત્રની જરૂર હોય છે અને ત્યારે એ સમયે કદાચ થોડા સમય...

સફળતાની દુન્યવી પરિભાષા

સફળતાની પરિભાષા એ જ છે કે આપણી પાસે આલિશાન બંગલો હોય,લાખો રૂપિયાની નોકરી હોય અને હવે આધુનિક સમયમાં સફળતાની પરિભાષા ભણતર સુધી જ સીમિત રહી ગઈ છે.હવે દુન્યવી લોકો એ જ માને છે કે આપણી પાસે ડીગ્રી કે કોઈ પદક હશે તો જ સફળ થ‌ઈ શકીશું.  પણ, શું આને સાચા અર્થમાં સફળતા કહી શકાય? સફળતાને આલિશાન ઘર કે લાખો રૂપિયાના પગાર સાથે કોઈ જ નિસ્બત નથી.આ બધી બાબત સફળતાની પરિભાષામાં એટલા માટે ખપે છે કારણ કે દિવસે ને દિવસે આપણે ભૌતિકતાવાદી બનતા જ‌ઈએ છીએ. શાળાકીય પરિક્ષામાં પાસ કે નાપાસ થવાથી આપણે આગળ જીવનમાં સફળ થ‌ઈશુ જ એવી કોઈ ગેરંટી નથી હોતી.જો શાળાકીય પરિક્ષામાં નપાસ થયા તો પણ નાસીપાસ કે હતાશ થવાની જરૂર નથી કારણ કે શાળા કે કૉલેજની પરિક્ષા આપણી સફળતા નક્કી ન કરી શકે. આ દુનિયામાં સમર્થતા કે સફળતા એક જ વ્યક્તિ નક્કી કરી શકે છે અને એ છે આપણે પોતે.સફળતાની પરિભાષા આપણી ખુદની હોવી જોઈએ અને આ વિશ્વમાં કોઈ એટલું સમર્થ નથી જે આપણી સમર્થતા નક્કી કરે.કોને સફળતા કહેવી એ આપણા પર નિર્ભર કરે છે.આપણી પરિભાષા ને દુન્યવી પરિભાષા સાથે કોઈ નિસ્બત ન હોવી જોઈએ. અંગ્રેજી એ એક ભાષા છે, સફળતા નથી.વિદેશી ભાષા આવડવી એ દુનિયાના મતે...